ખેડૂતોને પરાળી બાળવાથી રોકવા પંજાબ સરકારની રૂ.500 કરોડની યોજના
21-04-2025

સીઆરએમ મશીન ખરીદવા ઓનલાઇન અરજી કરવાની રહેશે
પંજાબ સરકારે પરાળી બાળવાને રોકવા માટે ૫૦૦ કરોડ રૂપિયાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પર ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ (સીઆરએમ) મશીન ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ રાજ્યના કૃષિ પ્રધાન ગુરમિત સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે.
યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પર ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ (સીઆરએમ) મશીન ઉપલબ્ધ કરાવામાં આવશે
કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન ગુરમિત સિંહે જણાવ્યું હતું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે સીીઆરએમ (કૃષિ અવશેષ સંચાલન) મશીન ખરીદી પર સબસિડી પ્રાપ્ત કરવા માટે રાજ્યના ખેડૂતો માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ અરજી ૨૨ એપ્રિલથી ૧૨મે, ૨૦૨૫ સુધી ઓનલાઈન પોર્ટલ પર કરી શકાશે. સીઆરએમ મશીનો ખરીદવા માટે વ્યક્તિગત ખેડૂતોને ૫૦ ટકા સબસિડી તથા ખેડૂત જૂથો, સહકારી સભાઓ અને ગ્રામ પંચાયતોને ૮૦ ટકા સબસિડી આપવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદેશ ખેડૂતા સરળતાથી સીઆરએમ મશીન ખરીદી શકે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી તમામ માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ગત સિઝનમાં રાજ્ય સરકારે વ્યક્તિગત ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને પંચાયતોને ૧૭૬૦૦ સબસિડીવાળા સીઆરએમ ઉપકરણો વહેંચ્યા હતાં. આ ઉપરાંત સીઆરએમ સંબધિત ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્રોની રચના કરવામાં હતી. આ પ્રયત્નોને કારણે ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં પરાળી બાળવાની ઘટનાઓમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો