આજે, કાલે ગુજરાતના 75 ટકાથી વધુ સ્થળોએ વરસાદની ચેતવણી, જાણો વિગતવાર
07-05-2025

કેરી, ચીકુ, ડાંગર, શાકભાજી પકવતા ખેડૂતોને માવઠાથી કરોડો રૂપિયાનો ફટકો
આજે ભારે વરસાદનું સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લા માટે મોડેથી રેડ એલર્ટ જારી કરાયું હતું અને આજે સવાસો તાલુકામાં વરસાદ વરસ્યો છે. આવતીકાલ તા.૭ મેના બુધવાર તથા તા.૮ મે ગુરુવાર એ બે દિવસ માટે કેન્દ્રીય મૌસમ વિભાગે ગુજરાતમાં વ્યાપક એટલે કે ૭૫થી ૧૦૦ ટકા સ્થળોએ વરસાદની ચેતવણી જારી કરી છે.
વડોદરા, નર્મદા,ભરુચ, સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર,કચ્છમાં ભારે વર્ષાનું ઓરેન્જ એલર્ટ
આ વરસાદ મેઘ મલ્હાર ઉચારતો શાંત નહીં હોય પરંતુ, તેની સાથે કલાકના ૬૦થી ૭૦ કિ.મી.ની ઝડપે વિનાશક બની શકતો વંટોળિયો ફૂંકાવાની અને વિજળીના કડાકા ભડાકા સાથે તે ત્રાટકવાની પણ શક્યતા છે. આવતીકાલ માટે ખાસ કરીને (૧) રાજકોટ (૨) અમરેલી (૩) ભાવનગર (૪) મોરબી (૫) સુરેન્દ્રનગર (૬) કચ્છ (૭) બોટાદ (૮) વડોદરા (૯) અરવલ્લી (૧૦) સાબરકાંઠા (૧૧) સુરત (૧૨) નર્મદા (૧૩) ભરુચ જિલ્લાઓમાં સિવિયર થન્ડરસ્ટોર્મ એટલે કે અતિ તીવ્ર ગતિએ મુશળધાર માવઠાંનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાયના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. આ એલર્ટ તંત્રને અને લોકોને સતર્ક બનીને પગલા લેવા માટે સૂચવે છે. તા.૯, ૧૦ના પણ વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં બે લાખ એકરથી વધુ જમીનમાં કેરી, ચીકુ, ડાંગર, શાકભાજી પકવતા ખેડૂતોને માવઠાથી કરોડો રૂપિયાનો ફટકો
ભર ઉનાળે કમોસમાં માવઠાની સાથે જ પૂરઝડપે પવન ફુંકાતા દક્ષિણ એકરથી વધુ જમીનમાં ઉભા ડાંગર, કેરી, કેળા, શાકભાજી સહિત વિવિધ પાકોને નુકશાન થયું હતું. જેમાં કેરી અને ચીકુનો પાક ૨૫ થી ૩૦ ટકા જમીન પર તુટી પડયો છે. તો ડાંગરનો પાક નીચે દબાઈ જતા ખેડૂતોને કરોડો નુકસાન થવાથી રડી ઉઠયા છે. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાના પગલે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનો પાક લેવાની તૈયારીઓ શરૂ થઈ રહી છે. તો બીજી તરફ કેરીની સિઝન પણ શરૂ થઈ છે. ખેડૂતો હવે થીરે ધીરે આંબા પરથી કેરીનો પાક ઉતારી રહ્યા છે. તો ચીકુનો પાક પણ લેવાઈ રહ્યો છે. બસ આવા જ સમયે કમાસમી માવઠાએ ખેડૂતોના આયોજન પર પાણી ફેરવી દીધું છે.
વરસાદ સાથે ભારે પવનના કારણે કેરી અને ચીકુનો ૨૫ થી ૩૦ ટકા પાક પડી ગયો : કેરીની સિઝન શરૂ થઈ ત્યાં જ વરસાદથી ખેડૂતો રડી ઉઠ્યા
દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશ પટેલ (દેલાડ)ના જણાવ્યા મુજબ હાલમાં ભારે વરસાદ અને પવનના કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, ધરમપુર, વાપી, નવસારીની પટ્ટી પર જે કેરીનો પાક લેવાતો હતો તેમાં ૨૫ થી ૩૦ ટકા જેટલી કેરી આંબા પરથી ખરી પડી છે. અને વરસાદના કારણે પાકમાં જીવાત પણ પડશે. આથી ખેડૂતોને ડબલ નુકસાન થવાનું છે. આવુ જ ચીકુના પાકમાં પણ થશે. સાથે જ ડાંગરનો પાક હજુ કંઠી કાઢી રહ્યો છે અને પૂરઝડપે પવનના કારણે નીચે બેસી જતા તેમાં પણ નુકસાન થવાનું છે. આ ઉપરાંત શાકભાજી, કેળા. તલના પાકમાં પણ નુકસાન થવાની શકયતા છે. ટુંકમાં કમોસમી માવઠાના કારણે દક્ષિણ ગુજરાતમાં બે લાખ એકરથી વધુ | જમીનમાં ઉભા પાકોને નુકસાન થતા ખેડૂતોને કરોડોનો ફટકો પડતા રડી આગામી દિવસોમાં ખેતીવાડી અધિકારી દ્વારા દક્ષિણ ગુજરાતમાં સર્વે શરૂ કરાવશે. અને સર્વે બાદ નુકસાનીના આંકડા મળશે.