રાજકોટના માર્કેટ યાર્ડ છ દિવસથી બંધ રહેતા રૂ.120 કરોડના સોદા અટક્યા
13-05-2025

146 વેપારીઓ સાથે રૂ.17 કરોડની ઠગાઈના પગલે
સૌરાષ્ટ્રનું અગ્રગણ્ય રાજકોટ માર્કેટ યાર્ડ કે જ્યાં વર્ષે રૂા.૪૦૦૦ કરોડથી વધુના કૃષિપાકનું ખરીદ-વેચાણ થાય છે ત્યાં એક પેઢી કાચી પડતા અને તેમાં ૧૪૯ કમિશન એજન્ટોના રૂ।.૧૭ કરોડથી વધુ રકમ ફસાઈ જતા હવે માવઠાંમાં રાહત છતાં આજે પણ યાર્ડ બંધ રહ્યા હતા. છ દિવસથી પાર્ડ બંધ રહેતા અંદાજે રૂા.૧૨૦ કરોડથી વધુ રકમનું ટર્નઓવર અટકી ગયું છે.
આરોપીઓ ઝડપાયા પણ વેપારીઓના નાણાં ક્યારે પરત મળશે તે સવાલઃ માલ આવકની છૂટ પણ વેપારીઓ સોદા કરવા તૈયાર નથી.
વરસાદનું જોર મંદ પડયું છે અને ખેડૂતોના માલની આવક ઉપર કોઈ પ્રતિબંધ નથી, માત્ર છૂટાછવાયા ઝાપટા વરસે તે સ્થિતિમાં માલ હાંકીને લાવવા જણાવાતું હોય છે પરંતુ, વેપારી સૂત્રોએ જણાવ્યા મૂજબ વેપારીઓના રૂા.૧૭ કરોડથી વધુ રકમ ફસાઈ ગઈ છે તે કારણે કોઈ હરાજી યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે હાલ કરવી તૈયાર નથી. ૨૫૦ જેટલા વેપારીઓએ માલના સોદા બંધ કર્યા છે તેથી નવી આવક થતી નથી. પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે પરંતુ, વેપારીઓના નાણાં કયારે, કેટલા પરત મળશે તે સવાલ છે. આવતીકાલે સવારે ૧૧ વાગ્યે વધુ એક વાર વેપારીઓની બેઠક યોજાશે, એક-બે દિવસમાં યાર્ડમાં સોદા શરુ કરવા વિચારાઈ રહ્યું છે જેની ખેડુતોને અગાઉથી જાણ કરાશે. ઉલ્લેખનીય છે કે ખેડુતો પાસે હજુ ટનબંધ મગફળી, ધંઉ સહિતની જણસીઓ પડી છે જે વેચાય તો જ ખેડૂતોનો આર્થિક વ્યવહાર સુગમતાથી ચાલે તેમ છે. આમ, એક પેઢીના ચીટીંગથી આર્થિક વ્યવહારો ખોરવાઈ રહ્યા છે.