રાજકોટમાં રેકોર્ડબ્રેક ધાણા, જીરું, ઘઉં સહિત 5 લાખ મણ જણસી ઠલવાઈ

19-03-2025

Top News

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ચણાની ધૂમ આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં તથા ચણાની આવક શરૂ કરતાં જ હાઇવે પર વાહનોની ૭ થી ૮ કિ.મી. લાંબી લાઈનો લાગી હતી. ઘઉંની આશરે ૧.૨૫ લાખ કા જેવી માતબર આવક થઈ છે, જે આ સિઝનની રેકોર્ડબ્રેક આવક છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતાં. ખેડૂતીને ૨૦ કિગ્રાના રૂા. ૪૭૦થી ૭૦૦ સુધી મળ્યા હતાં. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ ખેડૂતે થઉં લઈને આવવું નહીં તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવ્યું હતું. બીજી બાજુ સફેદ અને દેશી ચણાની ૭૦ હજાર કટ્ટા જેવી મબલખ આવક થઇથ છે. સફેદ ચણાનાં ૨૦ કિલોનાં રૂા. ૧૦૦૦થી રૂા. ૧૯૦૦ સુધી તથા દેશી ચણાના રૂા. ૯૦૦થી ૧૦૫૦ સુધીનાં ભાવ બોલાયા હતા. હાલ આવક બંધ કરાઈ છે.  

સૌરાષ્ટ્ર-કચ્છના સૌથી મોટા રાજકોટ મહાનગર હવે કૃષિપેદાશોની બજારમાં પણ સૌથી મોટું બની રહ્યું છે. વાર્ડના સૂત્રો અનુસાર આજે એક જ દિવસમાં રાત્રિથી સવાર સુધીના ૮ કલાકમાં આશરે ૨૦૦૦થી વધુ વાહનોમાં ર લાખ મણ પાણા, ૧.૫૦ લાખ મણ ઘંઉ સહિત આશરે પ લાખ મણ જણસીની આવક ઠલવાઈ હતી. મોરબી રોડ પર બેડી ખાતે આવેલા આ માર્કેટ યાર્ડથી માત્ર મોરબી રોડ પર જ આગળ છેક ૧૨ કિ.મી.દૂર હડાળા સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. તેમજ અન્ય માગી પર પણ ઠેરઠેર વાહનોની કતારો હતી.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે આટલી આવક એક પ્રથમવાર આવી છે, ખેડૂતો સોમવારની રાત્રિથી લાઈનમાં ઉભા રહ્યા હતા અને ગત રાત્રિના ૯ વાગ્યાથી એક પછી એક વાહનોની નોંધ સાથે સવારે પાંચ વાગ્યા, સુધીમાં ઉતરાઈ કરાઈ છે જેમાં યાર્ડના ચેરમેન સહિત હોદ્દેદારો વ્યવસ્થા માટે હાજર રહ્યા હતા. વિશાળકાય શેડ ટૂંકા પડયા હતા અને અનાજ, મસાલા, તેલીબીયા, કઠોળ સહિતની જણસીના ખુલ્લા મેદાનમાં વેપારીઓની દુકાનો પાસે રસ્તા પર ઠેરઠેર મોટા ગેજ ખડકાયેલા જોવા મળ્યા હતા.

બેડીયાર્ડથી છેક ૧૨ કિ.મી. દૂર હડાળા સુધી ૨૦૦૦ વાહનોની કતારો, ચક્કાજામ, ખેડૂતો સોમવારે રાત્રે વાહનો સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે ગત સારા ચોમાસાના કારણે ઘંઉં, પાણા, મગફળી સહિતનો મબલખ પાક થયો છે. વળી, પુળેટી પછી લોકોમાં અનાજ, મસાલાની વા પક ખરીદી પણ નીકળી છે. પાર્ડમાં ભાવ ગત વર્ષની સાપેક્ષે મહદ્અંશે જળવાઈ રહ્યા છે. આગામી તા.૨૯થી ૩૧ માર્ચ 6 દિવસ માટે રાજકોટ યાર્ડ વા ધક હિસાબ-કિતાબ કરવા માટે બંધ રહેશે અને આસમય દરમિયાન હરાજી નહીં થાય. હાલ ઉપરોક્ત જણસી ચાર-પાંચ દિવસમાં નિકાલ થાય છે અને રોજ આશરે રૂ.૨૫ કરોડનું ટર્નઓવર થાય છે.

 

 
 
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates