પામતેલની ટેરીફ વેલ્યુમાં ઘટાડો, સોયાતેલમાં વધારોઃ ઈફેકટીવ ડયુટીમાં થયેલા ફેરફારો
17-04-2025

રાઈસ બ્રાન ખોળની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા માગ
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ બે તરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. આયાતી ખાદ્યતેલો સૂસ્ત હતા. વિશ્વ બજારના સમાચાર નિરૂત્સાહી હતા. મલેશિયામાં પામતેલનો વાયદો વધુ ૨૩થી ૨૮ પોઈન્ટ ઘટયાના સમાચાર હતા. ત્યાં ભાવ ઘટી ૬ મહિનાના તળિયે ઉતરી ગયા હતા. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ જો કે ૧૦૧ પોઈન્ટ વધ્યા હતા.
રાઈસ બ્રાન ખોળની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા માગ
જ્યારે સોયાબીનના ભાવ ૫૬ પોઈન્ટ ઘટયા હતા સામે સોયાકોળના ભાવ ૨૯ પોઈન્ટ નરમ હતા. દરમિયાન, ભારતમાં આયાત થતા વિવિધ ખાધતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ફેરફારો કર્યાના સમાચાર હતા. આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલ સીપીઓની ૧૧૫૮થી ઘટાડી સરકારે ૧૧૫૩ ડોલર કરી છે. જ્યારે આરબીડી પામોલીનની આવી ટેરીફ વેલ્યુ ૧૧૭૭થી ૧૧૭૬ ડોલર થઈ છે સામે સોયાતેલની આવી ટેરીફ વેલ્યુ ૧૦૬૪થી વધી ૧૦૯૮ ડોલર કરાયાના સમાચાર મળ્યા હતા. આના પગલે પામતેલની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોદીઠ ભાવ સિંગતેલના ઘઠતા અટકી રૂ.૧૩૭૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. આયાતી પામંતેલના ભાવ વધુ ઘટી રૂ.૧૩૦૦ રહ્યા હતા. સોયાતેલના ભાવ રિફાઈન્ડના રૂ.૧૨૯૫ જ્યારે સન ફલાવરના ભાવ રૂ.૧૩૨૫ તથા રિફાઈન્ડના રૂ.૧૩૯૦ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૧૩૩૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ. ૧૩૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૬૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ તથા હાજર એરંડાના ભાવ આજે શાંત હતા જ્યારે એરંડા વાયદા બજારમાં આંચકા પચાવી ભાવ ફરી વધી રૂ.૬૨૦૦ની ઉપર ગયાના નિર્દેશો હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે ભાવ સિંગતેલના ઘટી રૂ.૧૩૨૫ જયારે કોટન વોશ્ડના રૂ. ૧૨૫૫થી ૧૨૬૫ રહ્યા હતા. દરમિયાન, ભારતમાંથી રાઈસબ્રાન ખોળની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી હોવાનું ધી સોલવન્ટ એક્ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું.