“અતિવૃષ્ટિની સહાયમાં અન્યાય દૂર કરો' ચોટીલામાં ખેડૂતોના પ્રશ્ને વિશાળ ટ્રેકટર રેલી
24-12-2024

ભારતીય કિસાન સંઘ અને ખેડૂત સેવા સંગઠનના ઉપક્રમે ખેડૂતલક્ષી રજૂઆતો
રાષ્ટ્રીય કિશાન દિવસની વિશેષઉજવણીના ભાગરૂપે ભારતીય કિસાન સંઘ અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતનો ઉપક્રમે ચોટીલામાં અતિવૃષ્ટિની સહાયમાં થયેલાં અન્યાય સહિતના પ્રશ્નો તેમજ ખેડૂતલક્ષી માગણીઓ પ્રદર્શિત કરવા ટ્રેકટર રેલી પ્રદર્શન યોજી આવેદન પાઠવી રજૂઆતો કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ઠંડીના દિવસોમાં ગરમાવો આવી હતો..
તમામ પાકોને ફસલ વિમા સાથે જોડી દેવા, ખેડૂતોને સો ટકા દેવા માફી લાભ આપવા મામલતદાર કચેરીએ રજુઆત
ચોટીલા આણંદપુર રોડ દુધની ડેરી થી જુના બસસ્ટેન્ડ તરફથી મામલતદાર કચેરી સુધીનાં રૂટ ઉપર ટ્રેક્ટર અને બાઈક રેલી યોજવામાં આવેલી હતી. જેમા આ વિસ્તારના ખેડુતોના પડતર પ્રશ્નોને લઈને માઈક ઉપર જાહેરમાં છકાવટ કરતાં કરતાં આગેવાનો મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યાં હતા. જેમા ચોટીલા તાલુકામાં ૧૨૦૪ જેટલો વરસાદ વરસ્યો હતો વિસ્તારની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન ગયેલા ખેડૂતોનેવળતર ચૂકવવામાં અન્યાય થયાનું જણાવી દરેક પ્રકારના ખેત ઓજારોમાથી જી.એસ.ટી. નામુદ કરવા માગણી કરી હતી.
આ ઉપરાંત મનરેગાને ખેડૂતલથી દરેક યોજના સાથે જોડવામાં આવે, દરેક પ્રકારના ઉત્પાદનમાં ફરજીયાત એમ.એસ.પી.લાગુ કરાય, દરેક ખેત ઉત્પાદનને વિદેશ વ્યાપાર નિતી અર્થે નિકાસ બધી તારવવામાં આવે, દરેક ખેત પેદાશાને ૧૦૦% વિમો આપવામાં આવે, શેરડી નું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે, દરેક ખેડૂતનું ૧૦૦% દેવું માફ કરવામાં આવે, હાઈબીડ બીયારણ તથા દવાઓમાં તલીકેટ અટકાવો અને સંશોધીત ભીયારણો આપવા, ખેડૂતો અને ખેતીને જંગલી પ્રાણી 5, ભુંડ, નીલગાય, વગેરેથી બચાવવા નક્કર આયોજન, તમામ ખેત ઓજારમાં ફરજીયાત એમ.આર.પી.લાગુ કરવામાં આવે, ખેતી માટે પુરતી અને સસ્તી વિજળી (લાઈટ)રાત્રીને બદલે દિવશે આપવા, પુરતા પ્રમાણમાં પીયત માટે પાણી આપવા, અકસ્માત ટાળે ખેડૂતોને ફરજીયાત ૨૫ લાખ નું વળતર આપવા સહિતનાં મુદ્દાઓની રજૂઆત કરી સરકાર સમક્ષ માંગણી કરી છે.