ધારી ગ્રામ્ય પંથકમાં સતત સાતમાં દિવસે કમોસમી વરસાદથી નદી-નાળા છલકાયા
13-05-2025

કેરીના ઈજારદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો
ધારી પંથકમાં આજે સતત સાતમા દિવસે કોસમી વરસાદ થતા નદી નાળા છલકાઈ ગયા હતા. સાથો સાથે બાગાયતી કેરીના બગીચાઓને નુકસાન થયું હતું. તેમજ ખેતીવાડીને નુકસાન થતા કિસાન સંઘે આવેદનઆપી વળતરની માગણી કરી છે.
અમરેલી જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન, સર્વે કરી સરકારી સહાય આપવા માંગ ઉઠી
અમરેલી જિલ્લામાં છેલ્લાં સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ધારી પંથકમાં નદી-નાળા છલકાય ગયા છે તો ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાની ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પારી પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કેરીના બગીચા રાખનાર ઈજારદારોને ભારે નુકસાની કરવાનો આવ્યો પણ ધારી ગીરના ચલાલા, વાવડી, લાખાપાદર, મોરજર, ગોપાલગ્રામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. વરસાદને કારણે ગીરના ચેકડેમ, વોકળા, નદીઓ બે કાંઠે વહી હતી. વરસાદને કારણે ભાગયતી પાકની સાથે તલ, ભાજરી, ડુંગળી સહિતના પાકોનો સોથ વળી ગયો હતો. ખેડૂતો અને ઈજારદારોને ભારે નુકસાની જતા તાત્કાલિક સર્વે કરી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગ્રામીણ વિસ્તાર સાવરકુંડલા રાજુલા પારી તેમજ લીલીયા પંથકમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું પાક ઉત્પાદન આવ્યું હતું અને ઘેલા ભર્યા હતા. પરંતુ ખેડૂતમાં હાથમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો હોય તેવું થયું છે વરસાદ પડતા ડુંગળી પલળી જવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની પહોંચી છે. ખેડૂતોએ પોતાના કરવામાં આવી હતી. કાપણી કર્યાબાદ ડુંગળીના ઘેલા ભરવામાં આવ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવા માટે સારા ભાવની રાહ જોવામાં આવતી હતી. પરંતુ અચાનક કમોસમી વરસાદ આ ડુંગળીના ઘેલા ઉપર પડયો છે.
જેથી સો ટકા પાક નિષ્ફળ ગયો છે. જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખેડૂતોના તથ, બાજરો, ડુંગળી અને જુવાર સહિતના પાકને મોટુ નુકસાન થયું છે. ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે ખેતરોમાં ઉભેલા પાકને તબાહ કરી નાખ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જિલ્લાના ખેડુતોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવીને તેમને યોગ્ય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.