ટેકાના ભાવની મગફળીનું વેંચાણ શરૂ થતાં ડોકાતો નુકસાનીનો ચોંકાવનારો આંક
31-03-2025

ટેકાની મગફળીમાં રૂ. 25 અબજનાં નુકસાનની ભીતિ, “ટેકો” મળ્યો જૂજને
સરકાર દ્વારા ટેકાના ભાવે થોડા સમય પહેલા ખરીદેલી મગફળી વેચવાનું શરૂ કરાયું છે. મગફળીમાં સરકારને અંદાજિત અધધ ૨૪૯૯ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે. નુકસાન, ભ્રષ્ટાચાર, ખરીદી કરેલી મગફલીને ગોડાઉનમાં પહોંચાડવા સુધીની કસરત કરવાને બદલે ભાવાંતર યોજના લાગુ કરી દેવામાં આવે તો ખેડૂતો અને સરકારને મોટો ફાયદો થાય તેમ છે, પરંતુ સરકાર તેમના પક્ષના કાર્યકરો અને આગેવાનોને સાચવવા માટે ભાવાંતર યોજના અમલમાં લાવતી નથી.
ભાવાંતર યોજના અપનાવાય તો બધા ખેડૂતોને અને એ પણ ઓછા ખર્ચે લાભ મળે, પણ ખેડૂતોને બદલે કાર્યકરોને સાચવવાનો મોહ
થોડા સમય પહેલા સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૨ લાખ ટન મગફળી ખરીદી કરી છે. સરકારના નિયમ મુજબ જેટલા ઉત્પાદનનો અંદાજ હોય તેના ચોથા ભાગની ટેકાના ભાવે જણસ ખરીદી કરવામાં આવે છે. આયોજના મુજબ મગફળીની ખરીદીમાં ૨૪૯૯ કરોડનું નુકસાન કર્યા બાદ પુણ રૂપ ટકા ખેડૂતને જ તેનો લાભ મળ્યો છે. જો ભાવાંતરે યોજના અમલમાં હોત તો મગફળીનું વાવેતર કરનાર તમામ ખેડૂતોને લાભ મળે તેમ હતો. સરકારે ટેકાના ભાવે જે મગફળી ખરીદી કરી તેના એક કિલોના ભાવ ૬૭.૮૩ રૂપિયા લેખે ખેડૂતોને ચુકવવામાં આવ્યા છે. હવે ખરીદ કરેલી મગફળીને વેંચવાનું શરૂ કરવામાં આવ્યું છે. યું છે. પ્રથમ તબક્કે પાલનપુર બાજુથી ખરીદી કરેલ મગફળીના ગોડાઉનની હરરાજી કરવામાં આવી છે. જ્યાં એક કિલોના ૫૩થી ૫૫ રૂપિયા લેખે વેપારીઓને સરકારે મગફળી વેંચી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને તેમાંય જૂનાગઢ જિલ્લાનાં ગોડાઉન ખુલશે ત્યારે ૪૮થી ૫૦ રૂપિયા આસપાસ કિલોનો ભાવ રહે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.
૧૨ લાખ ટન મગફળી ખરીદી કરવા પાછળ સરકારે અંદાજિત ૮૧૩૯ કરોડ રૂપિયા ખેડૂતોને ચુકવ્યા છે. ખેડૂતો પાસેથી મગફળી ખરીદ્યા બાદ તેમાં ચડાઈ-ઉતરાઈ, તોળાઈ, ટ્રાન્સપોટેશન, ગોડાઉન ભાડા, મંડળીનું કમિશન સહિતના કિલોએ અંદાજિત ૭થી ૮ બે અંદાજિત ૭થી ૮ રૂપિયા જેટલો ખર્ચ લાગે છે. મગફળી ખરીદી પાછળ ૯૬૦ કરોડનો અન્ય ખર્ચ થયો છે જેથી કુલ ૯૦૯૯ કરોડનો ખર્ચનો અંદાજ છે. સરકારે મગફળી વેંચવાનું શરૂ કર્યું છે ત્યારે સરેરાશ કિલોના ૫૫ રૂપિયા ઉપજે તેવો સરકારને અંદાજ છે. આ અંદાજ મુજબ ૬૬૦૦ કરોડ ઉપજે તેમ છે જેથી મગફળીની ખરીદી પાછળ ૨૪૯૯ કરોડનું નુકસાન થવાની શક્યતાઓ છે.
વડાપ્રધાને નિમેલાં કમિશને પણ ભાવાંતર યોજના અમલમાં લાવવા સૂચન કર્યું હતું
વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાનના આદેશ બાદ કેન્દ્ર સરકારે ખેડૂતોને જણસોના સારા ભાવ મળે તેના માટે શું કરવું જોઈએ તેનું તારણ કાઢવા એક કમિશન નિમેલું હતું. આ કમિશન દ્વારા કેન્દ્ર સરકારને ભાવાંતર યોજના સહિતની અનેક યોજનાઓ અમલમાં લાવવા સૂચન કરાયું હતું. આ સૂચન બાદ કર્ણાટકમાં તે સમયે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને તેમનાં રાજ્યના ખેડૂતોને ચુકવવાની સહાયની રકમ માંગી ત્યારબાદ એમએસપી અને બજારભાવ વચ્ચેના તફાવતની રકમ દરેક ખેડૂતોનાં ખાતાંમાં જમા કરાવી હતી. આ યોજનાના કારણે તમામ ખેડૂતોને લાભ મળ્યો હતો જ્યારે ગુજરાત કે અન્ય રાજ્યમાં ટેકાના ભાવની ખરીદીનો માત્ર ૨૫ ટકા ખેડૂતોને જ લાભ મળે છે.
સરકારને કઈ રીતે કેટલું નુકસાન: ઊડતી નજરે
- ૧૨ લાખ ટન મગફળીની પ્રતિકિલો રૂા. ૬૭.૮૩ના ભાવે ખરીદી: ૮૧૩૯ કરોડ
- પ્રતિ કિલો રૂા.૮ લેખે અન્ય ખર્ચ ઃ ૯૬૦ કરોડ
- સરકારને કુલ પડતર: ૯૦૯૯ કરોડ
- પ્રતિ કિલો સરેરાશ રૂા.૫૫ના ભાવે વેચાણ થાય તો સરકારને ઉપજેઃ ૯૬૦૦ કરોડ
- ૯૦૯૯ કરોડ- ૯૯૦૦ કરોડ = ૨૪૯૯ કરોડ.