સિંહોના કોરીડોરમાં પ્રોજેક્ટને સોલાર મંજૂરી આપવાનું મુલતવી

12-01-2025

Top News

વિસાવદરના ઘોડાસણમાં બનવાનો હતો સોલાર પ્લાન્ટ

વિસાવદરના થોડાસણમાં સોલાર પ્રોજેક્ટ શરૂ કરવા મુદ્દે મોટો વિવાદ છંછેડાયો છે. સિંહના મુખ્ય કોરીડોર અને ઈકો ઝોનમાં સોલાર પ્રોજેક્ટની મંજુરી મળે તો સિંહોને મોટું નુકસાન થાય તેમ હોવાથી સિંહપ્રેમીઓ તથા પ્રકૃતિ પ્રેમીઓ અને ઈકો ઝોનનું આંદોલે કરતા આજોલનકારીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સિંહપ્રેમી સાંસદ પરિમલ નથવાણીએ પણ આ સોલાર પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. હવે આટલા બધા મોટા વિરોધનો સૂર ઉઠતા હાલ સોલાર પ્રોજેક્ટની ફાઈલને અભરાઈ ઉપર ચડાવી દેવાનો નિર્ણય કરવાની સરકારને ફરજ પડી છે.

સિંહપ્રેમીઓએ ચોતરફથી વિરોધ શરૂ કરતાં સરકાર અને વન વિભાગે નમતું જોખવાની ફરજ પડી

સરકાર અને તેના વનવિભાગના બેવડા પોરણોના કારણે અનેક્વાર વિવાદ છેડાય છે. વિસાવદરના થોડાસણને વન વિભાગના મેનેજમેન્ટ પ્લાનમાંતથા સુચિત ઈકોઝોનમાં ગીર-ગિરનાર વચ્ચેનો મુખ્ય કોરીડોર ગણાવ્યો છે તે જગ્યાએ ૨૮૬ વિવા જમીનમાં એનટીપીસી કંપનીને સોલાર પ્રોજેક્ટનેઅગાઉ વનતંત્રએ ભેવાર મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ દિલ્હીથી દબાવા આવતા તથા એક ઉચ્ચ અધિકારીની મનમાનીના કારણે નિયમોને નેવે મુકી આ પ્રોજેક્ટને મંજુરી આપવાનો તણો ઘડાઈ રહ્યો હતો. આ અંગેની સિંહપ્રેમીઓને જાણ થતા તેઓએ ઉગ્ર વિરોધ કરી કોઈપણ ભોગે સિંહના કોરીડોરમાં આ પ્રોજેક્ટ નહી કરવા મુહિમ છેડી હતી. જેમાં સિંહ પર રિસર્ચ કરનાર ડો. જલ્પન રૂપાપરા, ડો. પૂર્વેશ કાચા, વાઈલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ સભ્ય ભુષણભાઈ પંડયા સહિતના અનેક લોકોએ આપ્રોજેક્ટ અંગેવન વિભાગ અનેસરકાર સામે ઉભવિરોધ નોંધાવ્યો હતો.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ કહેલું કે સુચિત સોલાર એનર્જી પ્લાન્ટની હિલચાલ સિંહો માટે અવરોધરૂપ છે કારશ કે, સોલાર પ્લાન્ટ સિંહોના કોરીડોરને અવરોધકર્તા છે. એટલું જ નહી, માનવ અને પ્રાણી વચ્ચેનો સંઘર્ષે વધશે. રાજ્ય અને કેન્દ્રસરકારેદરમ્યાનગીરી કરીસોલાર પ્લાન્ટ માટેની મંજુરી અટકાવવી જોઈએ તથા અમૂલ્ય વન્યજીવના ભોગે કોઈપણ વિકાસ માનવ જાતિના વિનાશતરહ દોરી જશે તેવી રજૂઆત કરી હતી.

વનવિભાગના ઉચ્ચ અધિકારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યુંહતુંકે, સિંહના મુખ્ય કોરીડોરમાં સોલાર પ્રોજેક્ટથી અનેક મુશ્કેલીઓ ઉભી થાય તેમ હતું. જો એક પ્રોજેક્ટને મંજુરી મળે તો આ વિસ્તારમાં બીજા પ્રોજેક્ટ પણ મંજુરી માંગે તેમ હતા. કેન્દ્ર સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે, સિંહના કોરીડોરમાં કોઈપણ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવી નહી.આનિયમ મુજબ પણ ખોટી પ્રક્રિયા થાય તેમહતી ખેડૂતોઅનેઈકોઝોનનો વિરોષ કરતા લોકોએ પણ આ મુદ્દો છેડયો હતો કે નિયમોને નેવે મુકી સરકાર દ્વારા કંપનીઓને મંજુરી આપવામાં આવે છે અને ખેડૂતોને નિયમોના નામે હેરાન કરવામાં આવે છે. આવા અનેક કારણોને ખાને લઈ હાલ પુરતો થોડાસણનો સોલાર પ્રોજેક્ટપડતો મુકવામાં આવ્યો છે. એક બાજુઈકોઝોનનો વિરોપ ચાલી રહ્યો છે, બીજી ભાજુસરકારના જમાનીતા ગણાતા અનેકલોકોએ વિરોધ શરૂ કર્યો હતો. જો આ પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી હોત તો મોટો વિરોધ થાય તેવા એંધાણ પણ હતા. 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates