ચોટીલા નજીક રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને અકસ્માત, સદનસીબે બચાવ

01-02-2025

Top News

ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક રાજ્યના કેબીનેટ કૃષી મંત્રીની કારને અકસ્માત નડયો હતો જોકે કેબીનેટ મંત્રીનો ચમત્કારીક બચાવ થતાં જાનહાની ટળી હતી.રાજ્યના કૃષી કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ ગાધીનગરથી જામનગર રાત્રીના સમયે પોતાની સરકારી કારમાં જઈ રહ્યાં હતાં.

તે દરમ્યાનઅમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા ગામ પાસે કેબીનેટ મંત્રીની કારને ટ્રકચાલકે ટક્કર મારતા સામાન્ય નુકશાન પહોંચ્યું હતું. જ્યારે કારમાં સવાર કેબીનેટ મંત્રીનો આબાદ બચાવ થતાં જાનહાની ટળી હતી. ટ્રકચાલકની સામાન્ય ટક્કર લાગતા કારને માત્ર નુકશાન પહોચતા કેબીનેટ મંત્રીએ કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર અકસ્માતગ્રસ્ત કાર સાથે થોડી મીનીટો બાદ જામનગર તરફ રવાના થયા હતા ત્યારે આ અંગે ચોટીલા પોલીસને જાણ થતાં પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુતપાસ હાથધરી હતી. કેબીનેટ મંત્રીની કારના અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા રાજકીય આગેવાનોમાં પણ ચર્ચાઓ થવા લાગી હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates