ઊંઝા APMCના સેક્રેટરીની નોકરીની ફરજો અટકાવતા રાજ્ય સરકારના હુકમ સામે સ્ટે

22-03-2025

Top News

હાઇકોર્ટના હુકમને પગલે ભાજપના આંતરિક જૂથોનું રાજકારણ ગરમાયું

સચિવના હુકમને પડકારતી હાઇકોટ, ઉંઝા એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના સેક્રેટરીની નોકરીની ફરજો અટકાવવા અંગેના સરકારના સહકાર વિભાગના નાયબ સચિવના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્ત્વના હુકમ મારફતે સ્ટે(મનાઈહુકમ) ફરમાવી દીધો છે. જસ્ટિસ નિઝર એસ.દેસાઈએ આ કેસમાં રાજય સરકાર, ઉંઝા એપીએમસી, સરકારના સહકાર વિભાગના નાયબ સચિવ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. બીજીબાજુ, હાઇકોર્ટના આ હુકમને પગલે ઉંઝા બજાર સમિતિ ખાસ કરીને સ્થાનિક ભાજપના આંતરિક જૂથોનું રાજકારણ ગરમાયુ છે.

ઉંઝા એપીએમસીના આંતરિક રાજકારણમાં સેક્રેટરીની ફરજો અટકાવતા સહકાર વિભાગના નાયબ સમક્ષ થયેલી રિટ અરજીમાં એડવોકેટ શિવાંગ પ્રકાશ જાનીએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ઉંઝા એપીએમસીના સેક્રેટરીની નિમણુંક ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચૂંટાયેલા સભ્યો દ્વારા ગત તા. ૧-૯-૨૦૨૪ના રોજ સર્વસંમંતિથી કરવામાં આવી હતી. સર્વસંમિતિથી થયેલા ઠરાવના આધારે સેક્રેટરી ઉજાસ અરવિંદભાઇ આચાર્યએ કાયદેસરનો કાર્યભાર સંભાળ્યો હતો. આ નિમણૂંકને ખેત બજાર અને ગ્રામ્ય અર્થ તંગના નિયામક દ્વારા પણ ગુજરાત બજાર સમિતિના કાયદાની કલમ-૨૨(૧) હેઠળ બહાલી આપી હતી.

ભાજપના જૂથવાદ અને આંતરિક રાજકારણમાં ઊંઝા બજાર સમિતિના સેક્રેટરીનો ભોગ લેવાતા વિવાદ: પક્ષકારોને નોટિસ

દરમ્યાન ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુદત પૂરી થતાં સરકાર દ્વારા તેમાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી હતી. બાદમાં તા.૧૮-૧૨-૨૦૨૪ના રોજ ઉંઝા બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અગાઉની કમીટીના સભ્યો અથવા તે જ ગ્રુપના સભ્યો ચૂંટાયા હતા. પરંતુ અચાનક નવા સભ્યો દ્વારા સેક્રેટરી ઉજાસ અરવિંદભાઈ આચાર્યની કામગીરીનો રેકોર્ડ સારો હોવાછતાં તેમને રજા પર ઉતરી જવા જણાવાયું હતું અને લગભગ નવ મહિના પછી સમિતિની એક મહિલા કર્મચારી તરફથી સરકારમાં રિવીઝન અરજી કરી સેક્રેટરીની નિમણૂંક કરતા ઠરાવ અને ખેત બજાર અને ગ્રામ્ય અર્થ તંત્રના નિયામકના આ નિમણૂંકને બહાલી આપતાં બંને ઠરાવોને કસ્ટ કરી દીધા હતા., એટલે કે, સેક્રેટરીને નોકરીની ફરજો અદા કરતાં અટકાવી દીધા હતા.

અરજદારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે, બજાર સમિતિના આંતરિક જૂથના રાજકારણમાં નિર્દોષ અને પ્રમાણિક સેક્રેટરીને ભોગ બનાવાયા કે જેઓની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા હતા. સમિતિના આંતરિક રાજકારણ સાથે અરજદારને કોઈ લેવા દેવા નથી.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates