નોન-યુરિયા ખાતરો પરની સબસિડીમાં કરવામાં આવેલો નોંધપાત્ર વધારો

30-03-2025

Top News

તીવ્ર વધારો ખાતર સબસિડી પર અસર કરશે.

કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ ૨૦૨૯ના પ્રથમ છ મહિનામાં ખાતરો પર પોષણ આધારિત સબસિડીને મંજૂરી આપી છે. આ માટે રૂ. ૩૭,૨૧૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ની રવિ સિઝનની સરખામણીમાં ફોસ્ફરસ પર પ્રતિ કિલો સબસિડીમાં ૪૧ ટકાનો તીવ્ર વધારો થયો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ફોસ્ફરસ પર પ્રતિ કિલો સબસિડીમાં તીવ્ર વધારો થયો હોવા છતાં, તે ડી-એમોનિયા ફોસ્ફેટ (તેમાં મહત્તમ ૪૬ ટકા ફોસ્ફરસ પરાવે છે) આયાત કરતી કંપનીઓના સંપૂર્ણ નુકસાનને ભરપાઈ કરી શકશે નહીં અને કંપનીઓને એક ટન ડીએપી ઈમ પોર્ટ પર લગભગ ૧,૦૦૦ રૂપિયાનું નુકસાન કરવાનું ચાલુ રાખશે.

ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું કે, 'જો કે, આગામી મહિનામાં વૈશ્વિક દરો નીચે આવે તો જ આની ભરપાઈ થઈ શકે છે. ભારતમાં ડીએપી વપરાશની દ્રષ્ટિએ યુરિયા પછી બીજા ક્રમે છે. તીવ્ર વધારો ખાતર સબસિડી પર અસર કરશે. સરકારે પહેલેથી જ કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ખાતર સબસિડીનો સંશોપિત અંદાજ લગભગ ૧૪ ટકા વધીને લગભગ રૂ. ૧,૯૧,૮૩૬.૨૯ કરોડ થયો છે,

જ્યારે બજેટ અંદાજ ૩. ૧,૯૮,૧૩૦.૮૧ કરોડ હતો. ખાતરની સબસિડીમાં વધારો મુખ્યત્વે નોન-યુરિયા ખાતર સબસિડીને કારણે થયો છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ રૂ. ૯,૩૧૦ કરોડ હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં સમગ્ર વર્ષ માટે નોન-યુરિયા ખાતર સબસિડી વધીને રૂ. ૪૯,૦૦૦ કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ખરીફ સિઝન માટે ફાળવવામાં આવેલા માત્ર રૂ. ૩૭,૨૧૬ કરોડ હતી.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates