ગુજરાત સહિત દેશમાં કડકડતી ઠંડીનો સમય લગભગ પૂરો થયો

31-01-2025

Top News

તા.2 ના વસંત પંચમી પણ વસંત ઋતુ તા.18 ફેબ્રુ.થી શરુ થશે

ગુજરાત સહિત દેશમાં હવે જેને કાતિલ કે ધ્રુજાવી દેતી કહેવાય તેવી ઠંડીનો સમય, જો કોઈ અચાનક સીસ્ટમ ન સર્જાય તો લગભગ પૂરો થયો છે. પરંતુ, સવારે અને રાત્રે વધતા ઓછા પ્રમાણમાં ગુલાબી ઠંડી જારી રહેશે. મૌસમ વિભાગના પૂર્વાનુમાન મૂજબ એક પખવાડિયા સુધી કોલ્ડવેવની શક્યતા નથી.

હાલ શિશિર ઋતુ ચાલી રહી છે જેમાં સામાન્ય ઠંડી હોય છે, તા. રના રવિવારે દેશભરમાં સરસ્વતી પૂજન માટેના ઉત્તમ દિવસ વસંત પંચમીની ઉજવલી થશે પરંતુ, આ દિવસથી વસંત ઋતુ શરૂ  થતી નથી. વસંતનો આરંભતા.૧૮ ફેબ્રુઆરીથી થશે અને તા. ૨૦ એપ્રિલ સુધી ચાલશે અને ત્યારબાદ ગ્રીષ્મ ઋતુ શરુ થશે.

રાજ્યમાં હાલ પશ્ચિમોત્તર પવન, નીચલા લેવલે ફૂંકાઈ રહ્યા છે અને બે છે. દિવસ પહેલા માવઠાંની કરાયેલી આગાહી આજે તા.૨,૩ માટે કરાઈ નથી. ભારતના હવામાનને અસર કરતો લા નીના પ્રવાહ (અલ નીનાથી વિપરીત અસરો) પ્રશાંત મહાસાગરમાં શરુ થયો છે પરંતુ, તે નબળો છે.

મહામાસની ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ ,વર્ષમાં ૪ નવરાત્રિઓ

આ સ્થિતિમાં ગુજરાતમાં એકંદરે ૧૪ સે. આસપાસ સાધારણ ઠંડી જારી રહેશે. આજે જુનાગઢ, કેશોદ અને ડીસામાં ૧૨ સે.એ ઠંડી અનુભવાઈ હતી જયારે રાજકોટ, અમરેલી, નલિયા, ભૂજ, અમદાવાદ, વડોદરા, સુરત, પોરબંદર સહિત મોટાભાગના સ્થળોએ તાપમાન ૧૫ સે.ને પાર રહ્યું હતું. એકંદરે હવે રેકોર્ડ તોડતી ઠંડીની શક્યતા નહીવત્ છે.

દરમિયાન, આજથી માતાજીની વ્યક્તિના પરમપર્વ મહા (માલ) માસની ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થયો છે. જો કે વધારે ઉજવણી શારદીય નવરાત્રિની અને ત્યારબાદ ચૈત્રી નવરાત્રિની થતી પરંતુ,ગુજરાતમાં નવરાત્રિઓ આજે પણ અનેક સ્થળોએ ધર્મકાર્યોથી ઉજવાતી હોય છે. આજથી તા.૭ ફેબ્રુઆરી મહામાસની નવરાત્રિ બાદ તા.૩૦ માર્ચથી ૭ એપ્રિલ ચૈત્રી નવરાત્રિ ઉજવાશે અને જેમાં દાંડિયારાસ સહિત આયોજનો થાય છે તે શારદીય નવરાત્રિ તા.૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ઉજવાશે. આ દરમિયાન તા.૨૬ જૂનથી ૪ જુલાઈ અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ પણ ઉજવાશે.

લા નીના પ્રવાહ શરુ થયો પણ નબળો છે, ૧૪ સે. આસપાસ તાપમાને ગુલાબી ઠંડી જારી રહેશે પણ કોલ્ડવેવની શક્યતા નથી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates