ઘરે ઘરે બનતા અથાણાની સિઝન શરૂ મુરબ્બાની કેરીનો મણનો ભાવ રૂ.૭૦૦
21-04-2025

'જેનું અથાણું બગડ્યું તેનું આખું વર્ષ બગડ્યું'
ઉનાળાના દિવસોમાં બજારમાં કેરીની દસ્તક સાથે ગૃહિણીઓમાં સૌથી પહેલી ડિમાન્ડ અથાણું બનાવવા માટે ઉપયોગમાં લેવાતી કેરીની નીકળે છે. સુરત એપીએમસીમાં રત્નાગીરી હાફૂસ મેંગોની સાથોસાથ મુરબ્બા સ્પેશ્યલ કહેવાતી રાજાપુરી કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. આ વખતે અથાણાંમાં મુરબ્બો બનાવવા વપરાતી રાજાપુરી કેરી પ્રતિ ૨૦ કિલો (એક મણ)નો ભાવ ૭૦૦ રૂપિયા તો, કચુંબર અને સલાડમાં વપરાતી કર્ણાટકની તોતાપુરી કેરીનો ભાવ ૫૦૦ રૂપિયા બોલાઈ રહ્યો છે.
રાજાપુરી ઉપરાંત કર્ણાટકની તોતાપુરી કેરી મુરબ્બો બનાવવા માટે ગૃહિણીઓની પણ અથાણું અને પહેલી પસંદ હોય છે
ગૃહિણીઓ માટે રસોઈમાં વિવિધ ચટાકેદાર વાનગીઓની સાથોસાથ | મજેદાર મુરબ્બા અને કેરીના અથાણાંનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં અથાણાં સાથે જોડાયેલી એક કહેવત ખૂબ પ્રચલિત છે ‘‘જેનું અથાણું બગડ્યું તેનું આખું વર્ષ બગડ્યું!” આજ કારણથી ગુજરાતી ગૃહિણીઓ અથાણાંની કેરી ખરીદતા પહેલા તેની અનેકવાર ખાતરી કરે છે. સુરત એપીએમસીમાં કેરીની રેગ્યુલર સિઝન શરૂ થાય તે પહેલા અથાણાં માટે વપરાશમાં લેવાતી કેરીઓનું આગમન થઈ ચુક્યું છે. એપીએમસીના વર્તુળોએ જણાવ્યું કે, મોટાભાગના સુરતી પરિવારો આખા વર્ષનું અથાણું કેરીની સિઝન શરૂ થતાં જ બનાવી લે છે. મુરબ્બો, કેરીની કચૂંબર ખાટી-મીઠી સલાડ માટે મહિલાઓની સૌથી પહેલી પસંદ રાજાપુરી કેરી હોય છે.
અથાણાં સ્પેશ્યલ તરીકે જાણીતી રાજાપુરી કેરીનો ભાવ આ વખતે ૭૦૦ રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહ્યો છે. છૂટક બજારમાં ધંધો કરનારા દુકાનદારો કે વેપારીઓ દ્વારા આ કેરીનું વેચાણ શરૂ થયું છે. આ જ પ્રમાણે મુરબ્બો બનાવવા ઉપયોગમાં લેવાતી તોતાપુરી કેરીનો ભાવ પણ ૫૦૦ રૂપિયા પ્રતિ મણ નોંધાયો छे. તો, કર્ણાટકની તોતાપુરી કેરીનો ભાવ પ્રતિ મણ ૩૦૦ રૂપિયા | હોવાનું જાણવા મળ્યું છે. આવનારા દિવસોમાં અથાણું બનાવતી કેરીનો હજી વધુ પાક સુરત એપીએમસીમાં ઠલવાશે.