સુરતમાં માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીક હજારો એકર ખેતીપાકમાં પાણી ફરી વળ્યા
07-03-2025

કાકરાપાર જમણાં કાંઠા મુખ્ય નહેરમાં ભંગાણ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીકથી પસાર થતી કાકરાપાર મુખ્ય નહેરમાં ભંગાણ થતાં હજારો એકર ખેતી પાકમાં પાણી ફરી વળતાં વ્યાપક નુકશાન થયું હતું તેમજ નહેરના નિચાણ છે તું વિસ્તારમાં કામરેજ, ઓલપાડ અને હાંસોટ તાલુકાને પાણી મળતું બંધ થતાં ડાંગર તથા શેરડીના પાકને પાણી માટે મુશ્કેલી પડશે.
તોગાપુર અને કેવડિયા ગામે તલ, શેરડી, શાકભાજીના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુક્સાન: તોગાપુરમાં ૧૦ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા
માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીકથી પસાર થતી મુખ્ય નહેરમાં ભંગાણ થયું હતું. પાણીનું દબાણ વધુ હોય ધીરે ધીરે ભંગાણ મોટુ થઈ જતાં તમામ પાણી ઉભા ખેતી પાકના ખેતરોમાં ફરી વળ્યા હતા. સ્થાનિક ખેડૂતોને નુકસાન થયું હતું. નહેરમાં ભંગાણની જાણ થતાં કાર્યપાલક ઈજનેર સતીશ પટેલ સહિત અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને નહેરમાં પાણી ઉપરથી બંધ કર્યું હતું.
બે નાણાંકીય વર્ષમાં નહેરના નવિનીકરણ માટે કુલ રૂા. ૧૦૫ કરોડનો ખર્ચ કરાયો છતા ભંગાણ પડતા ખેડૂતોના માથે આફત
છતાં પણ આજે દિવસભર પાણી વહેતું હોય ભંગારમાં થઈ ખેતરોમાં વહેતું રહ્યું હતું. તોગાપુર તથા કેવડિયા ગામ વિસ્તારમાં તલ, શેરડી અને શાકભાજીના પાકમાં ફરી વળતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તોગાપુર ગામે ૮ થી ૧૦ ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું. દરમિયાન આજે બુધવારે સાંજ સુધી પાણી વહીને ગટરથી વાવીયા ખાડીમાં જઈ રહ્યું છે જેથી મુંજલાવ ગામની સીમમાં વાવીયા ખાડી ઉપર બૌધાન જતા રોડ ઉપર ડૂબાવ પુલ પર પાણી ફરી વળતાં ૬ કલાક સુધી રોડ બંધ રહ્યો હતો. નવા રેટેશન મુજબ નહેરમાં બે ત્રણ દિવસ પહેલા પાણી છોડવામાં આવ્યું હતું અને પુરા દબાણથી નહેરમાં પાણી વહેતું હતું.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લાના માંડવી, કામરેજ અને ઓલપાડ તાલુકામાંથી કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર પસાર થાય છે. સુરત સિંચાઈ વર્તુળ હેઠળની નહેરના આરસીસી સાથે નવીનીકરણ માટે વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ રૂા. ૨૬૩.૬૧ કરોડ ખર્ચ કરાયો તેમાં કાકરાપાર જમણાંકાંઠા નહેર માટે રૂા. ૬૬.૭૮ કરોડ ખર્ચ કરાયો હતો. તે જ રીતે વર્ષ ૨૦૧૭-૧૮માં સુરત સિંચાઇ વર્તુળના ચાર વિભાગમાં કુલ રૂા.૧૬૮.૯૪ | કરોડના ખર્ચમાં કાકરાપાર જમશા કાંઠા નહેર માટે રૂા.૩૮.૪૪ કરોડનો ખર્ચ નવિનીકરણ માટે કરાયો હતો.
છેલ્લા બે નાશંકીય વર્ષમાં કાકરાપાર જમણા કાંઠા નહેર માટે રૂા. ૧૦૫ કરોડ જેટશે ખર્ચ કરવામાં આવ્યો હતો. છતા નહેરમાં ભંગાલ પડે છે અને લાખો લીટર પાણી હજારો એકર ખેતીના ઉભા પાકમાં ફરી વળતા નુકસાન થાય છે.
કાકરાપાર નહેરના અંડરગ્રાઉન્ડમાં ગટર પસાર થાય છે તેમની માટી સરકી હોવાની શક્યતા
તાપી નદીના કાકરાપાર ખાતેથી નીકળીને હજીરા સુધી જતી ૬૦ કિલોમીટર લાંબી કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર વર્ષ ૧૯૫૮ માં બની હતી. જેમાં સમયાંતરે નવીનીકરણના કામો થયા હતાં. ઉશ્કેર ગામ નજીકથી પસાર થતી કાકરાપાર મુખ્ય નહેરના અંડરગ્રાઉન્ડ (નીચેથી) ટ્રેઈન (ગટર) પસાર થાય છે. જે નજીકથી પસાર થતી વાવીવા ખાડીને મળે છે. અંડરગ્રાઉન્ડમાં નહેરની માટી સરકી હોવાથી લીકેજ થયું હોવાની શક્યતા છે.
ભંગાણના રિપેરીંગ માટે ત્રણથી ચાર દિવસનો સમય લાગશેઃ ઓલપાડ, હાંસોટના નીચા વિસ્તારોમાં પાણીની મુશ્કેલી સર્જાશે
પાણી નહેરમાં ઓછું થતાં ૮ થી ૧૦ કલાકનો સમય લાગે તેમ છે તેમજ નહેરની મરામત માટે ત્રણથી ચાર દિવસનો સમય થશે. યોગ્ય મસમત બાદ પાળી કરીથી છોડવામાં આવશે ત્યાં સુધી ઓલપાડ અને હાંસોટ તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં સિંચાઈના પાણીની મુશ્કેલી થરશે. જે હાલમાં ગરમી શરૂ થતાં ખાસ કરી ડાંગરના પાકને પાણી સમયસર ન મળતા ઉત્પાદનમાં સીધી અસર થઈ શકે છે.