ધોરાજી નજીક વેગડી, તરેવડા ગામે ભાદર નદીમાં હજારો માછલાંના મોત

18-03-2025

Top News

ત્રણ વર્ષ પહેલાના બનાવનું નદીમાં થયું પુનરાવર્તન

ધોરાજી પંથકમાં ભાદર નદીમાં કોઈ અકળ કારણોસર માછલાઓ મરી જવાની ઘટના વારંવાર બની રહી છે. આ અગાઉ ત્રણ વર્ષ પહેલા બનેલા આવા જ બનાવમાં હજારો માછલા મરીગયાની ઘટના બન્યા પછી ફરી આવી જ ઘટના ધોરાજીના વેગડી,તરેવડા, ગામે બનતા તપાસની માગણી ઓ થઈ રહી છે.

જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ, નદીનું પાણી મરેલી માછલીઓથી દૂષિત 

ધોરાજી જામકંડોરણા અને જેતપુર પંથકમાં સાડી કારખાનાઓના દૂષિત પાણીએ જળાશયોને બાકી રહેવા દીધા નથી.અહિકેમિકલયુક્ત પાણીના કારણે ખેતી બંજર બની રહી છે. આ સિવાય અનેકવિધ સમસ્યા થાય છે. આ પંથકમાં ભાદર નદીમાં અવારનવાર માછલાઓ મરી જવાની ઘટનાઓ બનતી જ રહે છે.

ત્રણ વર્ષ પહેલા આ જ નદીમાં હજારોની સંખ્યામાં માછલાઓ મરી જવાની ઘટના બની હતી. આ પેટર્નથી ધોરાજીનાવેગડી પાસે આવેલી ભાદર નદીમાં અને તરેવડા ગામની આજ નદીમાં અનેક માછલાઓ મરી જતાં ભાદર નદીનું જળ દૂષિત બની ગયું છે. અહી અવારનવાર બનતી આવી જ ઘટનાઓ બાબતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે તપાસ કરવાની જરૂરત છે. ધોરાજી તાલુકાના વેગડી અને તરવડા ગામે આવેલી ભાદર નદીમાં કોઈ અકળ કારણોસર અનેક માછલાઓ મરી જતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates