રેશનિંગ માટે ઘઉં-ચોખાના એક સાથે ત્રણ માસના ક્વોટાની મંજુરી અપાશે
13-05-2025

નવા પાકની આવક પહેલા સરકારી ગોદામો ખાલી રાખવાના રહે છે
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) પાસેથી અનાજે ખાસ કરીને ઘઉં તથા ચોખાનો વિપુલ સ્ટોક હોવાનું ધ્યાનમાં રાખી કેન્દ્ર રાજ્યોને તેમના રૅશનના ત્રણ મહિનાનું ક્વોટાનો એક જ સાથે ઉપાડ કરીને જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ લાભકર્તાઓને પણ એક સાથે તે પૂરો પાડવાની મંજુરી આપવા વિચારી રહ્યું છે.
નવા પાકની આવક પહેલા સરકારી ગોદામો ખાલી રાખવાના રહે છે
સામાન્ય રીતે નવા પાકના આગમન પહેલા સરકારી ગોદામો ખાલી કરવા આવા પ્રકારની કવાયતો હાથ ધરાતી હોય છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષમાં પણ આ બાબતે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાવા વકી છે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ૮૦ કરોડ લાભકર્તાઓને જાહેર વિતરણ પદ્ધતિ મારફત મહિને ૩૩ લાખ ટન જેટલા ચોખા અને ૧૬ લાખ ટન | જેટલા ઘઉંનો પૂરવઠો કરે છે.
દરેક લાભકર્તાને કુલ પાંચ કિલો ઘઉં અને ચોખા પૂરા પાડવામાં આવે છે. સરકારી ડેટા પ્રમાણે ભારત પાસે હાલમાં ઘઉં તથા ચોખાનો મળીને કુલ ૬.૬૧ કરોડ ટન બફર સ્ટોક પડયો છે જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં જાહેર વિતરણ પદ્ધતિ મારફત વિતરીત કરાયેલા ૫,૨૦ કરોડ ટનથી વધુ છે. જૂન, જુલાઈ તથા ઓગસ્ટનો પૂરવઠો સરકારે મેમાં છૂટો કરવા યોજના ધરાવે છે.