કઠોળની આયાત વધતાં ખેડૂતોને સપોર્ટ કરવા સરકારે ટેકાના ભાવોએ ખરીદીના સંકેતો આપ્યા
24-03-2025
દેશમાં દાળ-કઠોળ બજારોમાં પ્રવાહો બદલાતા રહ્યા છે
દેશમાં દાળ-કઠોળ બજારોમાં પ્રવાહો બદલાતા રહ્યા છે. ઘરઆંગણે કોરોના કાળ પછી દાળ-કઠોળની માગ વધી છે. જનતા આરોગ્ય પ્રત્યે વધુ સભાન બની છે. કઠોળ-દાળનો વપરાશ વધતાં તથા તેની સરખામણીએ ઉત્પાદન વૃદ્ધી પીમી રહેતાં વિવિધ કઠોળની દરિયાપારથી થતી આયાત પર આધાર છે ચાલુ રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, તાજેતરમાં કેન્દ્ર સરકારે અડદ તથા તુવેરમાં ડયુટી ફ્રીઆષાત ૨૦૨૬ના માર્ચ સુધી કરવાની છૂટ આપ્યાના વાવડ મળ્યા હતા. પીળા વટાણાની આવી આયાત આ વર્ષના મે મહિના સુધી કરવા માટે સરકારે લીલીઝંડી બતાવી છે. દરમિયાન, મસુરની ઈમ્પોર્ટ પર ૧૦ ટકા ડયુટી પણ લાગુ કરવામાં આવી છે. હકીકતમાં દેશમાં કઠોળની માગ તથા સ્થાનિક સપ્લાય વચ્ચેનો ગેપ-તફાવત પુરી કરવા સરકાર આયાત વિષયક હળવી નીતિ અપનાવતી નજર પડી છે. જો કે સરકારે એ વાત પર પણ લક્ષ આપવું જરૂરી છે કે વધુ પડતી આયાતના કારણે ઘરઆંગણાના કઠોળ ઉગાડતા ખેડૂતોને એસર પડે નહિં એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. કઠોળની આયાતનું પ્રમાણ તથા આયાતના ટાઈમિંગ (સમયગાળા) પર સરકારની બારીક નજર રહી છે જેથી પરઆંગણાના ખેડૂતોનું હીત પણ જળવાઈ રએ એવું જાણકારીએ જણાવ્યું હતું.
રવિ મોસમ માટે આવી ખરીદીનો આશરે ૩૧થી ૩૨ લાખ ટનનો ટારગેટ બનાવાયોઃ ઈમ્પોર્ટ વધી પાંચ અબજ ડોલર પાર કરી ગઈ
દેશમાં ૨૦૨૩-૨૪ના પાક વર્ષમાં વિવિધકઠોળનું ઉત્પાદન આશરે ૨૪૦થી ૨૪૫ લાખ ટન જેટલું થયું હતું તથા ૨૦૨૪-૨૫ના વર્તમાન વર્ષમાં ઉત્પાદન આ આંકડાથી સહેજ વધુ થવાનો અંદાજ બજારમાં બતાવાઈ રહ્યો છે. રવિ પાકના અંદાજમાં કઠોળનું ઉત્પાદન ૧૫૮લાખ ટન બતાવાયું છે. જે પૈકી ચણાના ઉત્પાદનનો અંદાજ ૧૧૫ લાખટનતથા મસુરના ઉત્પાદનનો અંદાજઆ પણ સાધન છે. ભરમાં કઠોળનું ઉત્પાદન આશરે ૭૧ લાખ ટન અંદાજાયું છે. દરમિયાન, ૨૦૨૪-૨૫માં દેશમાં વિવિધ કઠોળની કુલ આવાત આશરે ૯૫ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ રહી છે. આ આયાત પૈકી આશરે ૩૦ લાખ ટન આયાત પીળા વટાજ્ઞાની થવાનું અનુમાન જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૧-૨૨ના વર્ષમાં દેશમાં
વિવિધ કઠોળનું કુલ ૨૭૩ લાખ ટનનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું અને ત્યાર પછીના ગાળામાં ઉત્પાદનના આંકડા નીચા ઉતરતા જોવા મળ્યા હતા. આવા માહોલમાં આવાત પર આપાર વધ્યો છે. વર્તમાન નાણાવર્ષમાં દેશમાં વિવિધ કઠોબની કુલ આયાતનું બિલ વધી પાંચ અબજ ડોલર ઉપર ગયું છે. એપ્રિલથી સફેબ્રુઆરીના ગાળામાં આઆંકડી પ અબજડોલર પાર ગયો છે. જે ગયા વર્ષે આ ગાળામાં ૩.૧૭અબજડોલર નોંધાયો હતો. દેશમાં વસતી વધી છે અને તેના પગલે પણ સ્થાનિક માગમાં વૃદ્ધી દેખાઈ છે. દેશમાં દાળ-કઠોવની વાર્ષિક માગ વધી ૨૮૦થી ૨૯૦ લાખ ટન આસપાસ રહી છે. સરેરાશ અર્ષિક આધાત આમ પણ વાય હાય કઠોળ-દાળનો વપરાશ આશરે ૫૦થી ૫૫ ગ્રામનો રહ્યો છે. દેશના કઠોળ ઉગાડતા ખેડૂતોના હીતના રક્ષણ માટે સરકાર પોતે વિવિધ કઠોળની ખરીદી ખેડૂતો પાસેથી કરતી રહી છે.
દરમિયાન, દેશમાં વિવિધ કઠોળનું ઉત્પાદન વધારવા હેકટરદીઠ પેદાશ વધારવી જરૂરી છે. એવું કૃષી તજશો જણાવી રહ્યા હતા. કઠોળ ઉગાડતા ખેડૂતોને ઓછા ભાવોએ ફોસ્ફેટીક ફર્ટીલાઈઝર ખાતર પૂરું પાડવું પણ જરૂરી છે. સિંચાઈ પરાવતા વિસ્તારોમાં કઠોળના પાકને મુખ્ય પાક તરીકે પ્રમોટ કરવું પણ આવશ્યક છે. એવું તજજ્ઞોએ જણાવ્યું હતું. દેશમાં કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયો નબળો પડતાં તથા ડોલરના ભાવ ઉંચા જતાં તેના કારવી કઠોળની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ છે. દેશમાં છેલ્લા બે વર્ષથી કઠોળની આયાતમાં વૃદ્ધિી થઈ છે. રવિ મોસમ માટે કેન્દ્ર સરકારે ૩૨ લાખ ટન કઠોળની ખરીદી કરવાનો ટારગેટ બનાવ્યો છે. લઘુત્તમ ટેકાના ભાવોએ આવી ખરીદી કરવામાં આવનાર છે. ૨૧થી ૨૨ લાખટન ચણા તથા ૯થી ૧૦ લાખ ટન મસુર તથા આશરે ૯૦થી ૯૧ હજાર ટન આદ અને ૧૩થી ૧૪ મજાર ટન મગની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. નાફેડ દ્વારા તેલંગણામાં ચણાની આવી ખરીદી શરૂ થઈ ગઈ છે.
મધ્ય પ્રદેશમાં ૨૫મી માર્ચથી આવી ખરીદી શરૂ થવાની શક્યતા છે. ચણાનો રવિપાક ૧૧૫થી ૧૧૯ લાખ ટન થવાની શક્યતા છે. પાછલા વર્ષે આ આંકડો ૧૫૦થી ૧૧૧ લાખ ટન નોંધાયો હતો.. વિવિધ ઉત્પાદક મથકોએ ચણાની નવી આવકો શરૂ થઈ ગઈ છે. પીળા વટાશાની ઈમ્પોર્ટ વધતાં ચણાના બજાર ભાવ પર અસર દેખાતી રહી છે.