અમરેલીમાં ગોડાઉનમાં સીઝ કરાયેલો રાશનિંગનો જથ્થો વેપારીએ ચોરી લીધો
25-01-2025

બિલાડીને દૂધનું રખોપું..'ની કહેવતને સાચી ઠરાવતો કિસ્સો
બિલાડીને દૂધનું રખોપું..'ની કહેવતને સાચી ઠરાવતો કિસ્સો અમરેલીમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સસ્તા અનાજના કાળાબજાર કરતા વેપારીએ પોતે ભાડે રાખેલા ગોડાઉનમાં પુરવઠા તંત્ર દ્વારા સીઝ કરાયેલો રાશનિંગનો જથ્થો ચોરી લીધો હતો. અમરેલી પુરવઠા તંત્રએ ગત ઓગસ્ટ મહિનામાં સીલ મારેલા આ ગોડાઉનનું શટર તોડીને વેપારીએ રૂા.૨.૬૨ લાખના ચોખા-ઘઉંની જગ્યાએ માત્ર ચોખાની કણકીનો માલ મુકી સિફતપૂર્વક શટર રીપેર પણ કરી નાખ્યું હતું. પણ આખરે તેની કરતૂતનો ભાંડો ફૂટી જતાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
અમરેલીમાં મામલતદાર ગોપાલભાઈ ભાવીસી અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા તા.૨૯મી ઓગસ્ટના રોજ રાશનિંગનાં ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીનાં આધારે રોકડીયાપરા નજીક આવેલા સુરેશભાઈ થોથાભાઈ મકવાણાની માલિકીનાં ગોડાઉનમાં દરોડો પાડીને ચેકીંગ કરતા રૂા. ૨.૪૩ લાખના ૯૨૫૦ કીલો ચોખા અને રૂા. ૧૩૫૦૦ની કિંમતના ૫૦૦ કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. જેથી રાશનિંગનાં અનાજનો જથ્થો સીઝ કરીને ગોડાઉનને સીલ * મારી દેવામાં આવ્યું હતું. આ સાથે પુછતાછ કરતા સસ્તા અનાજનો ગેરકાયદે જથ્થો સાહિર રહીમભાઈ મેતર (રહે. જૂની સબ જેલ સામે, અમરેલી)નો હોવાનું કહ્યું હતું. જેથી સાહિર મેતરની પણ પુછતાછ કરીને ગેરકાયદે રીતે રાશનિંગનો જથ્થો મેળવવા, સંગ્રહ કરવા અને વેચાણ કરવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક તબક્કે ખુલવાથી તેની સામે કાર્યવાહી ચાલુ કરી આ સસ્તા અનાજનો સીઝ કરવામાં આવેલો જથ્થો યથાસ્થિતિ મુજબ રાખવા માટે સુચના આપી હતી.
આરોપી વેપારી સાહિર ગત ઓગસ્ટ મહિના બાદ ગમે ત્યારે પડયંત્ર રચીને પોતાના ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા રાશનિંગનાં અનાજના જથ્થાની ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના સીલ કરાયેલા ગોડાઉનના શટરનો એક તરફની ભાગ તોડીને અંદર સીઝ કરવામાં આવેલા ઘઉં-ચોખાના જથ્થાની ચોરી કરી, તેની જગ્યાએ ચોખાની નાની કણકીના બાચકાં મુકી દીધા હતા. બાદમાં પુરવાઠા વિભાગને ખબર નપડે એ માટે ગોડાઉનનું શટર તોડયું હતું, ત્યાં રીપેરીગ કરાવી શરૂઆતમાં આ રાશનિંગનાં જથ્થાના રોર્ટેશન અને ચેકીંગની પ્રક્રિયા સમયે તેની કરતૂત ખુલી પડી જતાં પ્રાથમિક તપાસના અંતે ગઈકાલે સરકાર સાથે છેતરપીડી કરવા સબબ વેપારી સાહિર રહીમ મેતર વિરૂધ્ધ મામલતદાર જી.જી. બાવીસીએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરીને આગળની નાખ્યું હતું. પરંતુ ચાલુ મહિનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચા ભાવે જથ્થો લઇને ઊંચા ભાવે વેચી નાખતો
અમરેલી મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે સસ્તા અનાજનાં ક૨૫૦ કિલો ચોખા અને ૫૦૦ કિલો થઉંનો જથ્થો ઝડપી લીધા બાદ તપાસ કરી ત્યારે ખુલ્યું હતું કે, અમરેલી જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને સરકાર તરફથી ઘઉં અને ચોખાનો જથ્થો વિતરણ કરવામાં આવે છે, જેમાંથી અનેક લાભાર્થીઓ શેરીએ- શેરીએ ફરતા ફેરીયાઓને અન્ય વસ્તુ કે પૈસાના બદલામાં એ રાશનિંગનો જથ્થો વેચી નાખે છે. જે ફેરિયાઓ પાસેથી વેપારી સાહીર મેતર નીચા ભાવે ઘઉં- ચોખાનો જથ્થો લઈને અનાજ-કરિયાણાનાં વેપારીઓને કાળાબજારમાં ઉંચા ભાવે વેચી નાખતો હતો. જેથી આ અંગેનો કેસ કલેક્ટર સમક્ષ ચાલતો હતો અને આરોપી સાહિરને ખુલાસા અને પુરાવા આપવા માટે બે નોટિસ પણ મોકલી હતી, પરંતુ કોઈ જવાબ નહીં આપતા થોડા સમય પહેલા તેના ખાનગી ગોડાઉનમાં સીઝ કરવામાં આવેલો જથ્થો હવે સરકારી ગોડાઉનમાં રોટેશન માટે મુકવા જવાનો હોવાથી સ્થળ પર જતાં શટરનો અડધો ભાગ અલગ લાગ્યો હતો. આથી અંદર જોતા સીઝ કરવામાં આવેલો જથ્થો પણ ન હોવાનું અને તેની જગ્યાએ ચોખાના કણ દેવામાં આવ્યાનું જણાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.