ઉત્તરાયણનો ઉત્સાહઃ બજારોમાં પર્વલક્ષી ઘરાકી,દાન માટે ગૌશાળાના ઠેરઠેર મંડપો

12-01-2025

Top News

તા. ૧૪ના માર્કેટ યાર્ડ, સરકારી તથા અનેક ખાનગી કચેરીઓ શાળા-કોલેજ વગેરે બંધ રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા તડામાર તૈયારીઓનો ધમધમાટ શરુ થયો છે. સંક્રાંત સુધી એકંદરે સ્વચ્છ આકાશ રહેવાની અને પવન પણ પતંગ ઉડાડી શકાય તેવો મધ્યમ રહેવાનું અનુમાન છે બજારોમાં પર્વલક્ષી ધરાર્કીં નીકળી હતી. આવતીકાલે રવિવારે પણ સીઝનલ દુકાનો ખુલ્લી રહેશે તો બીજી તરફ દાન મેળવવા માટે જાહેરમાર્ગો પર ઠેરઠેર મંડપ ઉભા કરી દેવાયા છે.

આવતીકાલે રવિવારની રજા હોવાથી છૂટીછવાઈ પતંગો ઉડવાનું શરુ જવાની શક્યતા છે, ઉપરાંત પાશિકરોડ પર ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડમાં સવારે ૯ વાગ્યે દર વર્ષની જેમ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે. આજે બજારમાં ખાસ કરીને ફીરકી, પતંગ, દોરા, ધ્વનિપ્રદુષણ કરી શકે તેવી પીપુડી, બેન્ડએઈડ પછીથી માંડીને તલ, સીંગની ચીકી અને જીંજરા, શેરડી વગેરેની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો.

આજ રાજકોટમાં પતંગોત્સવ સાથે રવિવાર હોવાથી લોકો પતંગો ઉડાડવાનું પણ શરુ કરશેઃ લાખો લોકો મોજમજા કરશે અને સેંકડો પૂણ્યનું ભાથું બાંધશે

મંગળવાર તા.૧૪ના મકરસંક્રાંત નિમિત્તે માર્કેટ યાર્ડમાં અનાજ, કઠોળની હરાજી, આવકજાવક વગેરે સંપૂર્ણ બંધ રહેશે તેમજ સરકારી કચેરીઓ, શાળા કોલેજો અનેક ખાનગી ઓફિસો પણ બંધ રહેશે. રજાપ્રેમી કર્મચારીઓએ તો સોમવારની રજા મુકી સળંગ ત્રણ દિવસ રજા ભોગવી લેવાની તૈયારીઓ પણ કરી હતી. બજારોમાં લીલા ચણા (જીંજરા), શેરડી,બોરના ગંજ ખડકાયા હતા તો ચીકીનો અને ચીકી બનાવવાની સામગ્રીનો પણ ધૂમ ઉપાડ થયો હતો. લાખો મકરસંક્રાંતિ પર લોકો પતંગ ઉડાડી, મનભાવન વાનગીઓ આરોગીને, મિત્રો- સગાસ્નેહીઓ સાથે વાતો કરીને મોજ માણશે તો બીજી તરફ સેંકડો લોકો થવાયેલા પંખીઓ,પ્રાણીઓની સારવાર કરીને, જરૂરિયાતમંદોને દાન આપીને અને જપ,ધ્યાન,પૂજન વગેરે ભક્તિથી પૂણ્યનું ભાથુ બધિશે. મૂળભૂત રીતે, મકરસંક્રાંતિ એ મૃત્યુ પછી પણ સાથે આવતો અને જીવતા શાતા બક્ષતો પૂણ્ય પામવાનો અવસર છે.

આજે, કાલે, મંગળવારે સાંજે મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાશે, પોલીસ પેટ્રોલિંગ જરૂરી

રાજકોટ સહિત મહાનગરોમાં આવતીકાલથી સળંગ ત્રણ દિવસ અને યાત્રાધામાં અને ફરવાના સ્થળો આવેલા છે તે હાઈવ પર ખાસ કરીને રવિવાર મંગળવારે અને તેમાં પણ મુખ્યત્વે સાંજના સમયે ચિક્કાર ટ્રાફિક જામ રહેવાની સંભાવના છે. રાજકોટ શહેરમાં તો આજે પણ ટુ વ્હીલરમાં નીકળ્યા તેઓ સમયસર જઈને આવી શક્યા અને કારમાં નીકળેલાઓએ બંધ કારમાં અંદર બેસીને સમય ટ્રાફિક જામમાં વિતાવવો પડયો હતો. ત્રણ દિવસ પોલીસના ચૂસ્ત અનેકડક પેટ્રોલીંગની વિશેષ જરૂરિયાત

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates