ગુજરાતમાં પાણીનું સંકટ ઊભું થઈ શકે છે, 92 ડેમોમાં માત્ર 30 ટકા જ પાણી

16-04-2025

Top News

મોટા શહેરોમાં પાણી મુદ્દે દેકારો મચ્યો, સરકાર દોડતી થઇ

એક બાજુ, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યુ છે. હિટવેવને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. આ સંજોગોમાં અમદાવાદ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતા શહેરીજનોએ દેકારો મચાવ્યો છે. રાજ્યના ડેમોમાં પણ પાણીની સ્થિતી જોતાં એવુ લાગી રહ્યુ છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીનુ સંકટ ઉભુ થઈ શકે છે.હાલ રાજ્યાના ડેમોમાં માત્ર ૫૦ ટકા જ પાણી ઉપલબ્ધ થછે. પાણીના સંકટને જોતાં રાજ્ય સરકાર પણ દોડતી થઇ છે. છેલ્લી ઘડીએ સરકારે પાણીનું આયોજન કરવા મજબૂર થવુ પડ્યું છે.

ગામડામાં ટેન્કરો દોડાવવા પડે તેવી દશા, ૨૮ ડેર્મોના તળિયાં દેખાયાં, સિંચાઈના પાણી પર પ્રતિબંધ મુકાય તેવી પરિસ્થિતિ

રાજ્યમાં ગરમીના વધતાં પ્રકોપને જોતાં પાણીનો વપરાશ વધ્યો છે. હજુ તો ઉનાળો આખો બાકી છે ત્યાં અત્યારથી પાણીનું સંકટ ઉભુ થાય તેવી પરિસ્થિતી નિર્માણ થઇ રહી છે તેનુ કારણ એછેકે, ઉત્તર ગુજરાતમાં ૧૫ ડેમોમાં માત્ર ૬૫૮ એમસીએમ પાણી બચ્યુ છે. એટલે કે, આ| વિસ્તારના ડેમોમાં માત્ર ૩૪.૧૩ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં ૧૭ ડેમોમાં ૫૮. ૩૫ ટકા પાણીનો જથ્થો ડેમોમાં સંગ્રહાયેલો રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ૧૩ ડેમોમાં ૫૦૪૬.૩૫ એમસીએમ પાણી બાકી બચ્યુ છે. કચ્છના ૨૦ ડેમોમાં ૧૨૩.૪૯| એમસીએમ પાણી રહ્યુ છે. કચ્છમાં ડેમોમાં ૩૭.૯૪ ટકા પાણી રહ્યુ છે. સૌરાષ્ટ્રમાં સ્થિતી ગંભીર બને તેવા એંધાણ છે કેમકે, | ૧૪૧ ડેમો પૈકી એક માત્ર ડેમ સંપૂર્ણપણે ભરાયેલો રહ્યો છે. આ ડેમોમાં ૧૦૧૪૫ | એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જ સૌરાષ્ટ્રના ડેમોમાં ૪૦.૩૭ ટકા પાણી બચ્યુ છે.

રાજ્યમાં અત્યારે માત્ર પાંચ ડેમો જ એવાં છે જેમાં ૯૦ ટકા પાણીનો જથ્થો મોજુદ છે. પણ ચિંતાજનક વાત એછેકે, ૨૮ ડેમો તો સ્ટેડિયમ બન્યાં હોય તેવી સ્થિતી છે. આ ડેમોમાં ૧૦ ટકા ય પાણી રહ્યુ નથી. ૯૨ ડેમોમાં પાણીની માત્રા ૩૦ ટકાથી ઓછી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates