સુરેન્દ્રનગર જિલ્લામાં 300 ખેડૂતો સામે પાણીચોરીના કેસ, એકને પાસા
15-02-2025

આખરે ખેતીને બચાવવા ખેડૂતો પાણી ચોરી કરવા મજબૂર
ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ખેતીને બચાવવા ખેડૂતો કેનાલમાંથી પાણી લઇ રહ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ૩૦૦ ખેડૂતો વિરુધ્ધ પાણીચોરીના કેસ નોંધ્યાં છે. એટલું જ નહીં, મૂળીના એક ખેડૂતને પાણી ચોરી બદલ પાસા એકક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે. એક તરફ, આખરે સરકાર ખેડૂતોને સિચાઈનું પાણી પુરુ પાડવામાં સદંતર નિષ્ફળ છે. નિવડી છે ત્યારે બીજીતરફ, સરકાર ખેડૂતોને પાણીચોર સાબિત કરી રહી છે. સરકારની આ બેધારી નીતિને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં ચોરી જ નહીં, સમગ્ર ગુજરાતમાં રોષ ભભૂક્યો છે.
એક તરફ, સરકાર સિંચાઈ માટે પુરતું પાણી આપતી નથી બીજી તરફ, ખેડૂતોને પાણીચોર સાબિત કરવામાં આવે છે
ગુજરાતના ખેડૂતોની આવક બમણી થશે. સમૃધ્ધ ગુજરાતમાં ખેડૂતો પણ સમુખ થશે તેવી ઊગો [હાંકવામાં આવી પણ કડવી વાસ્તવિકતા એછેકે, ગુજરાતના ખેડૂતો સિંચાઈના પાણી માટે ટળવળી રહ્યાં છે. ગુજરાતમાં આજે ખેતી કરવી પણ મોથી બની છે કેમકે, મોઘું ખાતર,જંતુનાશક દવા ઉપરાંત બિયારણ નહીં, ખેતમજુરી પણ ગરીબ ખેડૂતોને પોષાય તેમ નથી. અથાગ। મહેનત પછી પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં નથી. આ પરિસ્થિતી વચ્ચે ખેતરમાં ઉભા પાક બચાવવા માટે ખેડૂતોએ કેનાલમાંથી સિંચાઈનું પાણી લેવા મજબુર થવું પડ્યું છે.
સ્થાનિક ખેડૂતોનું કેહવું છે,કે, ખેતી ખાતર સિંચાઈનું પાણી લેવા બદલ ખેડતો સામે પાણી ચોરીના કેસ દાખલ કરાયા હતાં. એવો આક્ષેપ કરાયો છેકે, અમુક કિસ્સામાં તો નિર્દોષ ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરાયા હતાં. ઘણાં કિસ્સામાં તો ખેડૂતોએ એફિડેવિટ કરી કબૂલાત કરી છેકે, અમારાથી ક્યાંક ભૂલ થઈ છે. કેટલાંક ખેડૂતો નિર્દોપ હોવાનો પુરાવો રજૂ કરી શક્યા નથી.
પોલીસના ડરથી ખેડૂતો ઘરબાર છોડીને જતાં રહ્યાં, લોકોનો આક્રોશ: બુટલેગરો વિરુધ્ધ પાસાની કાર્યવાહી કરાતી નથી
ડરથી ઘણાં ખેડૂતો ઘર છોડીને જતાં રહ્યાં છે. ખેડૂતોનું કહેવુ છેકે, આ વિસ્તારમાં ૫૦થી વધુ બુટલેગરો છે જેમની વિરુધ્ધ પાંચ થી વધુ કેસ તેમની વિરુધ્ધ કોર્ટમાં આજે પણ કેસ ચાલી રહ્યાં છે. ગત મહિનામાં મૂળીના એક ખેડૂતને પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. એવું જાણવા મળ્યુ છે કે, પોલીસના નોંધાયેલાં છે તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી નથી થતી જ્યારે ખેડૂતોને જેલમાં પકેલવામાં આવે છે. આગામી દિવસોમાં મહારેલી યોજીને વિરોષ પ્રદર્શન કરવા ખેડૂતોએ તૈયારી કરી છે.
કિચ્છનાં નાના રણમાં નર્મદાનાં પાણી વેડફાયો છે. સરકારને જ પાણીની કોઈ કિંમત નથી!
નર્મદાના પાણી કચ્છના નાના રણમાં પહોંચ્યા છે જેથી અગરિયાઓની માઠી દશા થઈ છે. એક બાજુ, ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાતુ નથી તો બીજુ બાજુ, [નર્મદાના પાણીનું રણમાં વેડફાઈ રહ્યુ છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ મામલે સરકારનું! ધ્યાન દોર્યું છે છતાં કોઈ પગલાં લેવાયા નથી. હજારો લિટર પાણી કચ્છના રણમાં જઈ/છે ત્યારે રે કોઈ ધ્યાન આપનાર નથી. . સરકારને જાણે પાણીની જાણે કિંમત ન હોય| તેવી સ્થિતી સર્જાઇ છે. અગારિયાઓને નુકશાન પહોંચાડતું પાણી બચાવવાની સરકારને પડી નથી. આ તરફ, મહામુલી ખેતી બચાવવા પાણી લેનારાં ખેડૂતોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે.
ખેડૂતો વિરુધ્ધ પગલાં ભરવા સરકારને શૂરાતન ચડ્યુ
આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે જોખમી પુરવાર થયુ છે કેમકે, અતિવૃષ્ટિને કારણ! /આર્થિક નુકશાન ભોગવવું પડયું હતું. છેવટે ખેડૂતોની આર્થિક નુકશાનથી ખોટ પુરવા। સરકારે કૃષિ પેકેજ જાહેર કરવું પડયુ હતું. જોકે, કૃષિ પેકેજનો લાભ આપવાનો હોય તો સરકારને બહાનાબાજી સુઝ છે, લાભ લેવો હોય તો અનક શરતો મૂકે છે પણ આપું જ ખેડૂતો વિરુધ્ધ પગલાં ભરવા સરકારને જાણે સુરાતન ચડ્યું છે. જગતના તાતને જેલભેગા કરવા સૂચના અપાઇ છે જેથી ખેડૂતો રોષે ભરાયા છે.