ગુજકોમાસોલ દ્વારા થતી મગફળીની ખરીદીમાં મલાઇ કોણ ખાઇ ગયું !
23-01-2025

ભાજપ ધારાસભ્ય લાડાણીએ મગફળીકાંડનો પર્દાફાશ કર્યો
અમરેલીમાં લેટરકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યો ફરી એકવાર સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે કેમકે, ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ સામે આરોપો ઘડયાં છેકે, ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીમાં મલાઇ કોણ તારી ગયું? ગુજકોમાસોલના અધિકારો મનમાની કરી રહ્યાં છે જેથી ખેડૂતો હેરાન પરેશાન છે. અધિકારીઓ મગફળીની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. આમ, ભાજપના જ ધારાસભ્યએ મગફળીકાંડનો પર્દાફાશ કરતાં વિપક્ષોને ફાવતુ ફાવ્યું છે.
માણાવદરમાં ગુજકોમાસોલના ડિરેક્ટરના સગાની જ મંડળી, મગફળી ખરીદીમાંય અધિકારી લાંચ માંગે છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી કૃષી વિભાગે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. આ મુદ્દે માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ સામે બાંયો ચડાવી છે. લાડાણીએ આક્ષેપ કર્યો છેકે, માણાવદર વિસ્તારમાં ૨૦૦થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવાઓનલાઈન અરજી કરે અરજી કરી છે ત્યારે મગફળી ખરીદીમાં ગુજકોમાસોલના અધિકારીઓ મનમાની કરી રહ્યાં પોતાનુ પાર્યું કરી રહ્યા છે. નબળી ગુણવત્તાની મગફળી વેચવી હોય તો અધીકારીઓ લાંચ માંગી રહ્યાં છે. અધિકારીઓ પૈસાનો વહીવટ કરી રહ્યાં છે જેથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.
અધિકારીની મનમાની, કૃષિમંત્રી રાઘવજી પટેલનો ફોન કરાવો તો પણ અમારી મરજી મુજબ જ મગફળીની ખરીદી કરીશું
લાડાણીએ ત્યાં સુધી કહ્યું કે, ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે બે મંડળીને માન્યતા આપવામાં આવી છે જેમાંથી બે નંબરની મંડળી તો ગુજકોમાસોલના મગાની છે. ભારદાનના કારણે મગફળીની ખરીદીની ખુબ જ પોખી રહી હતી જેથી વધુ બે મંડળીઓને સરકારે મંજૂરી આપી અધિકારીઓ એટલી હદે મનમાની છેકે, ખેડૂતી રજૂઆત કરે તો કહે છેકે, કૃપિમંત્રી રાવજી પટેલનો ફોન કરાવો તોય અમારી મરજીથી મગફળીની ખરીદી થશે.
આમ, ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ વિરૂધ્ધ આક્ષેપ કર્યા હૌરાયુ શોમાાણના ચક્રમાનુ દિલીપ સંઘાણીએ પણ લાડાણી સામે છે. મામલે ભાજપના બે નેતાઓ સામસામે આવ્યાં છે.
ધારાસભ્ય લાડાણી વિરૂધ્ધ એક કરોડનો માનહાનિનો દાવો કરીશું: દિલીપ સંઘાણી
માણાવદરના ધારાસભ્ય લાડાણીએ ગુજકોમાસોલ સામે આક્ષેપો કરતા વિવાદ વકર્યો છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આક્ષેપને નકારતાં કહ્યુંકે, મગફળીની ખરીદી પારદર્શક રીતે થઈ છે. બારદાન મામલે એક કર્મચારીને સસ્પેન્ડ પણ કરાયો છે. અત્યાર સુધી કયો છે. અત્યાર સુધી કોઈ ફીરિયાદ મળી નથી. કોઈ ફરિયાદ હોય તો ખેડૂતો વિનાસંકોચે જાણ કરી શકે છે. ગમે તેવા ચમરબંધીની મંડળી હશે તો પણ તપાસ કરીશું. જરૂર પડે પગલાં પણ ભરીશું. ખોટા આક્ષેપ કરી વ્યક્તિગત રીતે ગુજકોમાસોલને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ મામલે રૂા.૧ કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવશે.