તાલાલા પંથકમાં શિયાળુ વાવેતર 1953 હેક્ટર ઘટયું, બાગાયત વધ્યું
10-01-2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક
સૌરાષ્ટ્રનાં અગ્રીમ હરોળનાં ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક ચાલુ રહી છે. બે દિવસ દરમિયાન રાજકોટ જિલ્લા ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતોએ બે લાખથી વધુ કટ્ટા ડુંગળીનો જથ્થો ઠાલવ્યો હતો. જેમાં ૨૦ કિ.ગ્રા.નો ભાવ રૂા. ૨૦૦થી રૂા. ૪૫૦ સુધી ઉપજયો હતો. મબલખ આવક થતાં હાલ પૂરતી ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી.
૪૫ ગ્રામ્યવિસ્તારમાં ચાલુ વર્ષે ૧૨,૬૯૨ હેક્ટરમાં વાવણી
તાલાલા પંથકમાં શિયાળુ વાવેતર ૧૯૫૩ હેક્ટર ઘટયું, બાગાયત વધ્યું. તાલાલા પંથકના ૪૫ ગામમાં ૧૨૬૯૨ હેક્ટરમાં શિયાળું વાવેતર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ૧૭૫૩ હેક્ટર ઓછું છે. જેની સામે આ વખતે કેસર કેરી અને નાળીયેરીનાં બાગાયત વાવેતરમાં ૧૭૫૩ હેકટરનો વધારો થયો છે. એટલે કે, અનેક ખેડૂતો હવે બાગાયત વાવેતર તરફ વળ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૧૭૫૩ હેક્ટર શિયાળું વાવેતરમાં ઘટાડો થયો છે. જેની સામે કેસર કેરી તથા નાળીયેરી બાગાયતી વાવેતર વધ્યું હોય. શિયાળું વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાલાલા પંથકમાં ગત વર્ષે ઘઉંનું વાવેતર ૪૦૦૦, ચણા ૯૫૦૦, ધાણાનું ૨૨૦ હેક્ટરમાં થયું હતું, જેની સામે આ વર્ષે ઘઉં, ચણા અને ધાણાના વાવેતરમાં ઘટાડો થયો છે.