ખેડૂતોની સહકારી મંડળીઓના પૈસે 'સહકારીતા વર્ષ' ઉજવણી કરાશે
31-03-2025

સરકારની સહકારી સંસ્થાઓના નફા પર નજર પડી, કૃષિ વિભાગનો મંડળીઓને આદેશ, 20 અનામત ભંડોળ આપો
ગુજરાત સરકાર પ્રજાના પૈસે મેળાવડા કરવામાં માહિર છે ત્યાં હવે કૃષિ-સહકાર વિભાગે આંતર રાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. - ખેડૂતોની સહકારી મંડળીઓ પાસેથી ફંડ ઉઘરાવી સહકારિતા વર્ષની ઉજવણી કરાશે. આ પરથી એક વાત સાબિત થઈ છેકે, કૃષિ-સહકાર વિભાગે પાસે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવા પૈસા નથી. સરકારી તિજોરી ખાલી થઈ છે તેમ છતાંય સરકાર ને પારકા પૈસે પણ તાયફા કરવા છે.
ગુજરાત કૃષિ અને સહકાર વિભાગે વર્ષ ૨૦૨૫ના અંતે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવા આયોજન કર્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ એછેકે, સહકાર ક્ષેત્રમાં લોકો વધુમાં વધુ જોડાય, ટેકનોલોજીનો ઉપયોગ કરતાં થાય, લોકજાગૃતિ કેળવાય. આ ઉજવણી માટે નિર્ધારિત કાર્યક્રમ નક્કી કરાયાં છે. અત્યાર સુધી આવા કાર્યક્રમ સરકાર ખુદ ઉજવતી હતી પણ આ વખતે ઘડિયાળના કાંટા ઉધા ફરતાં હોય તેવી સ્થિતી પ્રવર્તી રહી છે. કૃષિ અને સહકાર વિભાગે સહકારી મંડળીઓને આદેશ કર્યો છેકે, મંડળીના ચોખ્ખા નફામાંથી ૨૦ટકા નાણાં જમા કરાવો.
સહકારી મંડળીઓને પૈસે કૃષિ વિભાગ આંતર રાષ્ટ્રીય સહકારીતા વર્ષ ઉજવશે. નવાઈની વાત તો એછેકે, કૃષિ વિભાગે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૯૧ની કલમ ૯૮(૨)નો હવાલો પણ ટાક્યો છે. આમ, ખેડૂતોના પરસેવાની કમાણી સરકારી તાયફા પાછળ વાપરવા નક્કી કરાયું છે. આ નિર્ણયને પગલે ખેડૂતોમાં રોષની લાગણી ભભુકી છે. ખેડૂતોએ રોષ ઠાલવ્યો છેકે, બોર્ડ-નિગમો અને નગરપાલિકાઓની તિજોરી તો તળિયાઝાટક થઈ છે. આમ છતાંય સરકારે કોઈ પડો લીધો નથી. ખોટા ખર્ચ કરવાને બદલે ખેડૂતોના પૈરી સરકારી તાયફા કરવામાં આવી રહ્યાં છે.